મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હળવદના ધુળકોટ ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં મોરબી નજીક આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
Breaking news
Morbi Today

મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે


SHARE











મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે

રોટરી ક્લબ-મોરબી દ્વારા અગાઉ ત્રણ સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ચોથી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે.કેમ્પનો અહિંના સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

વર્ષોના અનુભવી આયુર્વેદિક તબીબ દ્વારા નાડી પરીક્ષણ કરીને યોગ્ય નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે માટે જુના અને હઠીલા રોગો જેમ કે હાથીપગા, ગોઠણ અને કમરના દુખાવા, સાયટીકા, સ્ત્રીરોગો, સોર્યાસીસ અને ડાયાબિટીસ સહિતના રોગોના આયુર્વેદિક ઉપચાર માટે કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.કેમ્પમાં ભાગ લેવા માટે નામ નોંધણી જરૂરી છે કેમ્પ આગામી તા.૨૭ ને રવિવારે સવારે ૯ થી ૫ સુધી યોજાશે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા અને હરીશભાઇ શેઠનો મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૪૨૮૫૨ અથવા ૯૩૭૬૧ ૬૧૪૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News