વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે


SHARE











મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે

રોટરી ક્લબ-મોરબી દ્વારા અગાઉ ત્રણ સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ચોથી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે.કેમ્પનો અહિંના સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

વર્ષોના અનુભવી આયુર્વેદિક તબીબ દ્વારા નાડી પરીક્ષણ કરીને યોગ્ય નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે માટે જુના અને હઠીલા રોગો જેમ કે હાથીપગા, ગોઠણ અને કમરના દુખાવા, સાયટીકા, સ્ત્રીરોગો, સોર્યાસીસ અને ડાયાબિટીસ સહિતના રોગોના આયુર્વેદિક ઉપચાર માટે કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.કેમ્પમાં ભાગ લેવા માટે નામ નોંધણી જરૂરી છે કેમ્પ આગામી તા.૨૭ ને રવિવારે સવારે ૯ થી ૫ સુધી યોજાશે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા અને હરીશભાઇ શેઠનો મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૪૨૮૫૨ અથવા ૯૩૭૬૧ ૬૧૪૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News