મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૬/૩ થી ૧/૪ સુધી આ કથા ચાલશે અને કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. તેમજ ભાગવત સપ્તાહમાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ધામધુમથી ઉજવાશે તા ૨૮ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા ૨૯ ના રોજ વામન પ્રાગટ્ય, અને કૃષ્ણ પ્રાગટ્ય, તા.૩૦ ના રોજ ગોવર્ધન પૂજા, તા. ૩૧ ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા.૧ ના રોજ સુદામા ચરિત્ર, અને કથા વિરામ થશે. જેથી કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને આયોજકોએ આમંત્રણ આપ્યું છે






Latest News