મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામના યુવાનને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર ગામના યુવાનને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઇને રફાળેશ્વરથી જોધપર જતા રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે તેને આઈસર ચાલકે અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને રાજકોટથી જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતો દિવ્યેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (ઉંમર ૨૧) નામનો યુવાન રફાળેશ્વરથી જોધપર ગામ વચ્ચેના રસ્તા ઉપરથી પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે તેના બાઇકને આઇસરના ચાલકે અડફેટે લીધું હતું જેથી દિવ્યેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકીને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે, રાજકોટ ખાતે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને રાજકોટથી જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News