મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન


SHARE











મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

મોરબીની જુદી-જુદી ત્રણ શૈક્ષણીક સંસ્થાઓમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અહીંની ન્યુએરા ગ્લોબલ સ્કુલ  ખાતે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આવતીકાલ તા.૧૩ ને રવિવારના સવારના ૯:૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મુંબઇ અને સીડનીની વિવિધ સંસ્થાઓના એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.રવાપર ઘુનડા રોડ ઉપર આવેલી ન્યૂએરા ગ્લોબલ સ્કુલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

એ રીતે જ મોરબીના જાણીતા નવયુગ શૈક્ષણિક સંકુલના નવયુગ કીડસ તેમજ નવયુગ પ્રિ-સ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવ આજે યોજાવાનો છે.આજે તા.૧૨-૩ ના સાંજના ચાર વાગ્યે લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક બેંકવેટમાં બ્લોમીંગ બડ્સ નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ અહિંના બ્લોસમ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા પણ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલ તા.૧૩-૩ ને રવિવારના સાંજે આઠેક વાગ્યે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ સરદાર પટેલ રોડ લેકસસ બંગલો સામે કાર્યક્રમનું આયોજન કરાયેલ છે જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ કવાડિયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે.તેમ સંસ્થામા સંચાલક રાજેશ ભીમાણીએ જણાવેલ છે.






Latest News