મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન


SHARE











મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

મોરબીની જુદી-જુદી ત્રણ શૈક્ષણીક સંસ્થાઓમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અહીંની ન્યુએરા ગ્લોબલ સ્કુલ  ખાતે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આવતીકાલ તા.૧૩ ને રવિવારના સવારના ૯:૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મુંબઇ અને સીડનીની વિવિધ સંસ્થાઓના એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.રવાપર ઘુનડા રોડ ઉપર આવેલી ન્યૂએરા ગ્લોબલ સ્કુલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

એ રીતે જ મોરબીના જાણીતા નવયુગ શૈક્ષણિક સંકુલના નવયુગ કીડસ તેમજ નવયુગ પ્રિ-સ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવ આજે યોજાવાનો છે.આજે તા.૧૨-૩ ના સાંજના ચાર વાગ્યે લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક બેંકવેટમાં બ્લોમીંગ બડ્સ નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ અહિંના બ્લોસમ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા પણ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલ તા.૧૩-૩ ને રવિવારના સાંજે આઠેક વાગ્યે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ સરદાર પટેલ રોડ લેકસસ બંગલો સામે કાર્યક્રમનું આયોજન કરાયેલ છે જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ કવાડિયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે.તેમ સંસ્થામા સંચાલક રાજેશ ભીમાણીએ જણાવેલ છે.






Latest News