મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૧ માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ એ.એચ.ટી.યુ.ની ટીમ કામ કરી રહી છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૧ માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી આરોપીને શોધી કાઢવા એલ.સી.બી.એસ.ઓ.જી. તથા એ.એચ.ટી.યુ. સ્ટાફના માણસોની ટીમો બનાવી ગુજરાતમધ્યપ્રદેશરાજસ્થાન વિગેરે રાજ્યમાં તપાસ કરી હતી ત્યારે એ.એચ.ટી.યુ.ના દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કેઆરોપી અને ભોગ બનેલ સગીરા રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લામાં છે જેથી પીએસઆઈ એ.એ.જાડેજા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના માણસો ત્યાં ગયા હતા અને આરોપી નિકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા (ઉ.૨૧) રહે. મુળ લોઠીયા તાલુકો જામનગર વાળો તથા ભોગ બનેલ સગીરા મળી આવેલ જેથી ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ આજોલીયાકા ખેડા ખાતે આવેલ સેવન હોટલ ખાતેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે






Latest News