મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સભ્ય મંજુલાબેન દેત્રોજાના ઘરે સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી પાલિકાના સભ્ય મંજુલાબેન દેત્રોજાના ઘરે સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ સોસાયટીયા રહેતા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના માજી પ્રમુખ અને બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી મંજુલાબેન દેત્રોજાના ઘરે અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનોને તેઓના સપરિવાર આમંત્રિત કરીને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે દરેક સમાજનાં લોકો સાથે સમરસતા વધે અને બધા લોકો એકબીજાની નજીક આવે તેના માટે ઘણા બધાં સામાજિક સમરસતાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન બન્યા બાદ પણ આ કાર્ય થકી સમાજનાં નાતજાતના ભેદભાવ મિટાવીને બધા લોકો સાથે મળીને રાષ્ટ્ર માટે વિચારે અને વ્યક્તિ સે બડા દલ ઓર દલસે બડા દેશની ભાવના સાથે દરેક સમાજનાં લોકો ફક્ત આપણે પહેલાં ભારતીય છીએ એમ વિચારીને રાષ્ટ્ર દેશ માટે કામ કરે એ જીવનમંત્ર બનાવે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પણ સામાજિક સમરસતા સમાજમાં જળવાઈ રહે અને સાથે મળીને નાતજાતના ભેદભાવ મિટાવીને આપણે સૌ રાષ્ટ્ર માટે કામ કરીએ એવો કાયમ આગ્રહ રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાના પ્રભારી તરીકે હાલમાં જવાબદારી સાંભળતા અને મોરબી પાલિકાના કાઉન્સિલર મંજુલાબેન દેત્રોજાએ આ આહવાનને સ્વીકારીને તેના ઘરે રસોઈ બનાવીને સાથે ભોજન લઈને સામાજિક સમરસતા વધે એવો નાનો પ્રયાસ કર્યો હતો આ ભોજન બાદ બધાનું સન્માન કર્યું હતું. આ તકે મોરબી પાલિકા કાઉન્સિલર ગીતાબેન મનુભાઈ સારેસા, મનિષાબેન ગૌતમભાઈ સોલંકી અને જાગૃતિબેન પરમારે મંજુલાબેનનું સાડી આપીને સન્માન કર્યું હતું આ કાર્યક્રમમા મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાજિલ્લા મહામંત્રી જયુભાપ્રભુભાઈ ભૂતહંસાબેન રંગપરિયાભાવિનીબેન ડાભી વગેરે હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા પ્રમુખ માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ મંજુલાબેન દ્વારા કરવામાં આવેલ સામાજિક સમરસતાના પ્રયાસને બિરદાવયો હતો






Latest News