હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ખારીવાડી શાળામાં મંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને ગણવેશ સહિત શૈક્ષણિક કીટ આરનારા દાતાઓનું કરાયુ સન્માન


SHARE











મોરબીની ખારીવાડી શાળામાં મંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને ગણવેશ સહિત શૈક્ષણિક કીટ આરનારા દાતાઓનું કરાયુ સન્માન

મોરબીના કંડલા બાયપાસ પાસે વાવડી ચોકડી પાસે આવેલ ખારીવાડી શાળા કે જે આજથી છ માસ પહેલા માત્ર 22 બાવીસ વિદ્યાર્થીઓ હોવાના કારણે ધો.1 થી 5 ની જ શાળા રહી અને ધો.6 થી 8 બાજુની શાળામાં મર્જ થઈ હતી પણ ખારીવાડી વિસ્તારના વાલીઓએ વસંતભાઈ અને નવ રત્નો જેવા યુવા ટીમની જહેમતથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવી વિદ્યાર્થીઓની સંખ્યા 22 બાવીસમાંથી 222 બસો બાવીસ કરી દીધી અને વિદ્યાર્થીઓને ભાવેશભાઈ કંઝારીયા મહામંત્રી મોરબી શહેર ભાજપે દિપકભાઈ પરમારે સ્કૂલબેગ, બાવરાની વાડીના વાલીઓ તરફથી બુટ મોજા, દામજીભાઈ કંઝારીયા ખોડાભાઈ પરમાર અને માવજીભાઈ કંઝારીયા તરફથી શૈક્ષણિક કીટ અને કે.કે.પરમાર પ્રમુખ નગરપાલિકા અનિલભાઈ કંઝારીયા અને નાનજીભાઈ કંઝારીયા તરફથી આર્થિક યોગદાન પ્રાપ્ત થયેલ હતું.તમામ  દાતાઓને બ્રિજેશભાઈ મેરજા પંચાયત મંત્રી, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ,જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મોરબી પ્રવીણભાઈ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી,જ્યૂભા જાડેજા, રણછોડભાઈ દલવાડી મહામંત્રી જિલ્લા ભાજપ - મોરબી કુસુમબેન પરમાર પ્રમુખ લાખાભાઈ જારીયા પ્રમુખ મોરબી  શહેર ભાજપ અને જયરાજસિંહ જાડેજા ઉપ પ્રમુખ નગરપાલિકા મોરબી વગેરેની ઉપસ્થિતમાં સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું ગ્રામજનોએ પરમરાગત રીતે રાસ લઈને કેડે તબલા બાંધીને તબલાંના તાલે અને ઢોલના નાદ સાથે અદકેરું સ્વાગત સન્માન કર્યું હતું. તમામ મહાનુભાવોએ દાતાઓએ બાળહિતમાં કરેલ પ્રવૃત્તિને બિરદાવી હતી. બ્રિજેશભાઈ મેરજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસ્તારનું નામ ખારીવાડી છે પણ કામ મીઠીવાડી જેવું કર્યું છે, તેમજ મંત્રીએ સરકારની શિક્ષણની વિવિધ યોજનાઓ અને સરકારની વિકાસ વાટીકાની વાતો મૂકી હતી,સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા નવ રત્નો જેવી યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.






Latest News