મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE











મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીમાં યુવાનની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે હુમલો કર્યો હતો ત્યારે આરોપી છરી મારવા જતાં ભાગવા ગયેલા યુવાનને મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો જેથી સારવારમાં યુવાનનું મોત નીપજયું હોય બનાવ હત્યામાં પલટાયો હતો આ ગુનામાં અગાઉ એક આરોપીને પકડવામાં આવેલ હતો અને હાલમાં એક આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના ખત્રીવાડ મેઇન રોડ ઉપર રહેતા મૂળ ઉતરપ્રદેશના રહેવાસી મોહીતકુમાર ઉદયભાન સેહગલ જાતે કઠેરીયા (ઉ.૨૨) એ જેતે સમયે દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપી રહે.ત્રણેય વાવડી રોડ, સોમૈયા સોસાયટી મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, ગત તા.૨૧-૨ ના સાંજના છએક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુએ ઉદયસિંગને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયો માર્યો હતો માટે ઉદયસિંહ પ્રભુદયાલસિંગ (ઉમર ૪૫)ને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન ઉદયસિંગનું મોત નીપજ્યું હતુ. અને બનાવ હત્યામાં પલટાયો હતો અને ત્યારબાદ કલમ ૩૦૨ (હત્યા) ની કલમનો ઉમેરો કરીને મુખ્ય આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બિંદુ છતરસિંહ કલન્દરસિંહ સેહગલ જાતે રાજપૂતની ધરપકડ કરી હતી અને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને હત્યાના આ ગુનામાં પીઆઇ વી.એલ.પટેલ દ્વારા પુષ્પેન્દ્ર ઉર્ફે લાલો રાજેન્દ્રસિંહ સેગલ જાતે રાજપૂત (૨૧) રહે, મૂળ યુપી એચએએલ રહે, ગ્રીન ચોક વાળની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ રામ નરેશ ભદોરીયા નામના શખ્સને પકડવા ચક્રોગતિમાન કરેલ છે






Latest News