મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી : ટંકારા ખાતે આવતીકાલે એક દિવસીય યોગ શિબિરનું આયોજન


SHARE







મોરબી : ટંકારા ખાતે આવતીકાલે એક દિવસીય યોગ શિબિરનું આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવતી કાલે એક દિવસીય નિઃશુલ્ક યોગ ટ્રેનીંગ તાલીમ શિબિરનું આયોજન કરાયેલ છે.આવતી કાલ તા.૬ ને રવિવારના રોજ ટંકારા ખાતે દયાનંદ ચોક, આર્ય સમાજ નજીક સાંજે ૪ થી ૬ વાગ્યે ગુજરાત રાજ્ય બોર્ડ-ગાંધીનગર દ્વારા એક દિવસની યોગ શિબિરનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તેમજ સમગ્ર ટંકારા તાલુકાને યોગમય બનાવવુંએ આપણી સૌની ફરજ છે.સમગ્ર ટંકારા તાલુકો યોગમય બને અને શારીરિક, માનસિક કે આધ્યાત્મિક રીતે સ્વસ્થમય બને તે હેતુથી આયોજન કરાયેલ છે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા આર્ય સમાજના આચાર્ય રામદેવજી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી તથા મોરબી જિલ્લાના કોર્ડીનેટર વાલજીભાઇ પી.ડાભી યોગ શિબિરમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે.યોગ શિબિર દરમ્યાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાનો હેતુ, યોગ વિશે માહિતી અને પ્રેકટીકલ, યોગ શા માટે કરવો જરૂરી છે ?, યોગના વિવિધ રોગમાં ફાયદા જેવા વિષયોની ચર્ચા થશે માટે તમામ યોગ સાધકોએ યોગ મેટ(પાથરણું કે શેતરંજી) સાથે લઈને આવવાનું રહેશે.ઉપરોક્ત યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગુ.રા.યોગ કોચ કંચનબેન એમ.સારેસા (મો.95589 26180) અને ગુ.રા.યોગ ટ્રેનર ડિમ્પલબેન એન.સારેસા (મો.96874 42735) એ યાદીમાં જણાવેલ છે.






Latest News