હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રીમંદિરમાં વોચમેનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર


SHARE











મોરબીના ત્રીમંદિરમાં વોચમેનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ જેપુર ગામ નજીકના ત્રિમંદિરમાં મોડી રાત્રિના ત્રણ ઈસમો ચોરીના ઈરાદે મંદિરમાં ત્રાટક્યા હતા અને ત્રિમંદિરમાં રહેલ વોચમેને તેઓને પડકારતાં ઈસમોએ તેને માથામાં ધોકો ફટકારીને ઇજા પહોંચાડી હતી અને જે હાથ લાગ્યું તે લઈને ભાગ્યા હોવાની જાણ થયેલ છે જોકે સીસીટીવી હોવા છતાં પણ ઉપરોક્ત લુંટની ઘટનામાં હાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ ત્રી-મંદિરમાં બુધવારની રાત્રીના ત્રણેક ઇસમો ચોરીના ઇરાદે મંદિરમાં ઘુસ્યા હતા.જો કે નાનીવાવડી ગામના રહેવાસી અને ત્રિમંદિરમાં વોચમેન તરીકે કામ કરતા જયંતિભાઈ ઓધવજીભાઈ બાવરવાએ તસ્કરોને પડકાર ફેંકતા તેમના માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ હોવા છતાં હાલ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઇ ખોખર (૫૮) અને શરીફાબેન યુસુફભાઈ ખોખર બાઈકમાં જતાં હતા.ત્યારે રાજકોટ રોડ ઉપર લજાઇ નજીકના રીકોન કલોક પાસે તેઓના બાઇકને અકસ્માત થતાં બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક બાઇક અને બોલેરો વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી ત્યાં જ રહેતા રાજુ ભારસિંગ મેડા આદિવાસી નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News