મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ સીએની પરીક્ષામાં ઉચ્ચ સફળતા હાંસલ કરી


SHARE











મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ સીએની પરીક્ષામાં ઉચ્ચ સફળતા હાંસલ કરી

તાજેતરમાં સીએ તેમજ સીએ ફાઉન્ડેશનના પરિણામો આવ્યા છે જેમાં મોરબીની જાણીતી નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉચ્ચ સફળતા હાંસલ કરી હોય તે બદલ સંસ્થાના સંચાલક દ્વારા સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

તાજેતરમાં જ સીએ ફાઉન્ડેશન તેમજ સીએ મેઇન પરીક્ષાના પરિણામો જાહેર થયા જેમાં મોરબીની જાણીતી નવયુગ કોમર્સ સ્કુલના ચાર વિદ્યાર્થીઓએ ઉચ્ચ સફળતા મેળવેલ છે.સીએની ફાઇનલ પરીક્ષામાં પ્રિયાંક રાજવીરે ૪૦૦ માંથી ૨૦૯ માર્ક મેળવીને પરીક્ષા પાસ કરી છે.જયારે સીએ ફાઉન્ડેશનમાં પાર્થ મેરેજાએ ૪૦૦ માંથી ૨૪૮, ઋત્વી કાનડીયાએ ૪૦૦ માંથી ૨૩૦ અને અભી રાજવીરે ૪૦૦ માંથી ૨૦૮ માર્ક પ્રાપ્ત કરીને અઘરી ગણાતી સીએની પરિક્ષામાં ઉતીર્ણ થયા છે.સારા માર્કસે પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને તેમજ તેઓને સારી રીતે તૈયારી કરાવનાર સ્ટાફને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News