વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા


SHARE











મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી દરમ્યાન પાશેરામાં પૂણી જેટલી કામગીરી સમયાંતરે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે જોકે, અન્ય વિભાગ દ્વારા ખનીજ ચોરીને રોકવા માટેની કામગીરી કરવાની થતી હોય છે પરંતુ જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ખનીજ માફિયાઓને મોરબી જિલ્લાની અંદર મુકલું મેદાન મળી જાય છે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે

હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસ પોલીસની હદમાં આવતા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગેરકાયદેસર તેમજ ઓવરલોડ ખનીજ ભરીને પસાર થતાં વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે જેની પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે જાંબુડિયા ગામે રહેતા બીજલભાઇ ગોવિંદભાઇ ચાવડા વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૦૬૩વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા ગોવિંદભાઈ જેઠાભાઈ વિરડીયા જીજે ૩ એફડબલ્યુ ૧૮૯૭છોટાઉદેપુરના ઇશ્વરભાઇ જયંતીભાઈ રાઠોડ જીજે ૩૬ ટી ૮૧૧૯ તથા થાન તાલુકાનાં વિજડિયા ગામે રહેતો કિશન હકાભાઇ ઝાલા ચાઇન કલે ભરેલ વાહન સાથે અને સુરેશભાઇ દલાભાઈ ડામોર રહે. રાતાવિરડા વાંકાનેર વાળા નંબર પ્લેટ વગરના વાહનમ ખનીજ ભરીને નીકળ્યા હતા જેથી તેઓના વાહનો જપ્ત કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી પંથકમાં નંબર પ્લેટ વગર ડમ્પર અને ટ્રક મોટી સંખ્યામાં દોડી રહ્યા છે અને તેમાં ખનીજ સહિતના માલ સામનાનું પરિવહન કરવામાં આવતું હોય છે તો પણ તેને રોકવાની તસ્દી લેવામાં આવતી નથી તે હક્કિત છે






Latest News