મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા


SHARE













મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા

સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગન ખૂબ જ આવકારદાયી છે ત્યારે સાદગી પૂર્વક ઘડિયા લગ્ન યોજવાનો સંદેશ અગાઉ મોરબીના પાટીદાર સમાજ દ્વારા જ આપવામાં આવ્યો હતો અને હાલમાં દરેક સમાજ દ્વારા ઘડિયા લગ્ન લેવામાં આવે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરી હતી. અને કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન પાસે ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં ઘડિયા લગન માટે જે કોઈ આવે તેઓના જમવા સહિતનો ખર્ચો પણ તેમના દ્વારા આપવામાં આવે છે ત્યારે ઇન્દુલાલ રતિલાલ પઢીયારના દીકરા સિદ્ધાર્થ અને બબન રાવ ઢાલેની દીકરી પ્રીતિના ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા જેમાં જૈન વાણિયા જ્ઞાતિના ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ શાહ, સ્થાનિકવાસી જૈન સંઘના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા,જૈન સોસીયલ ગ્રુપના નીતિનભાઈ મહેતા, વૉર્ડ-૭ ના કાઉન્સિલર હીનાબેન મહેતાવૉર્ડ-૫ ના કાઉન્સિલર કમલભાઈ દેસાઈ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા






Latest News