હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર જય રહેલા બાઈક ચાલકને કાર ચાલકે પાછળથી હડફેટે લીધી હતો અને કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી નાશી ગયો હતો જો કેબાઈક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા શીવાભાઈ ડાયાભાઈ ખાણધર જાતે સથવારા (ઉંમર ૬૭) એ કાર ચાલક સામે અકસ્માતની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો દીકરો કરણભાઈ શીવાભાઈ ખાણધર (ઉંમર ૩૬) પોતાનું બાઇક નંબર જીજે ૩ સીએફ ૨૨૩૫ લઈને રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આવેલ કટ પાસેથી પાનેલી તરફ જવાના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલ અજાણી કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઇને ઘટના સ્થળેથી નાસી ગયેલ હતો જો કેકરણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News