મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા વિકાસમાં ઓતપ્રોત ?! : બે વર્ષ પહેલા રોડનું કામ શરૂ કરીને કામ કરવાનું જ ભૂલી ગયા ?!


SHARE











મોરબી પાલિકા વિકાસમાં ઓતપ્રોત ?! : બે વર્ષ પહેલા રોડનું કામ શરૂ કરીને કામ કરવાનું જ ભૂલી ગયા ?!

મોરબીની વી.સી.હાઇસ્કૂલના પાછળના ભાગનો રસ્તો સાવ ખખડધજ થઇ ગયો છે આ રસ્તા પર વી.સી.હાઇસ્કૂલ, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલના આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓની અવરજવર રહે છે સાથે ત્યાં આવેલ ટ્રેર્ડ સેન્ટરમાં આશરે સો જેટલી ઓફીસો આવેલ છે માટે વર્ષોથી ભંગાર થયેલ આ રસ્તો કરવાની જરૂરત છે.આ અંગે ઉચ્ચ કક્ષાએ મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતાએ રજૂઆત કરેલ છે.અત્રે નોંધનીય છે કે જ્યારે પ્રથમ જનતા લોકડાઉન થયું ત્યારે આ રોડ બનવાનો હતો અને ત્યાર બાદ લોકડાઉન આવી જતા છેલ્લા બે વર્ષથી ખોદવાનું શરૂ કર્યા બાદથી આ રોડ બનાવવાનો બાકી હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુમાં લાલજીભાઇ મહેતામા જણાવ્યા પ્રમાણે મોરબી નગરપાલીકાને સરકાર તરફથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.વી.સી.હાઇસ્કુલની પાછળનો આ રસ્તો વર્ષોથી ભંગાર સ્થીતીમાં છે હવે શાળાઓ ખુલવામાં છે આ રસ્તા ઉપર વી.સી.હાઇસ્કુલ,એમ.પી. ગીર્લ્સ સ્કુલ, ટ્રેડ સેન્ટરમાં આવેલ આશરે સો જેટલી ઓફીસોના લોકો થઇને આશરે ત્રણ હજાર વ્યકિતનો કાયમી આવનજાવનનો આ રસ્તો તેમજ ટ્રાફીકજામ સમયે વૈકલ્પીક રસ્તા તરીકે આ રસ્તો ઉપયોગી થાય તેમ છે સાથે ત્યાં લેથકામ, રીક્ષા રીપેરીંગ, નાસ્તાપાણી માટે પણ માણસોના ધંધા રોજગાર ત્યાં આવેલ છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે વર્ષોથી આ રસ્તાની કોઇ સંભાળ લેતુ નથી.જયારે મોરબીને પેરીસ બનાવવું હોય તો પ્રજાને પાણી, લાઇટ, રસ્તાની સુવિધા આપવી જરૂરી છે.આ અંગે મોરબી નગરપાલીકાના પ્રમુખ-ચિફ ઓફીસર તથા લાગતા વળગતા નગરપાલીકાના પદાધીકારીને જાણ કરવામાં આવેલ છે કે આ રસ્તો તાત્કાલીક બનાવવો જરૂરી છે અને તે માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.

વધુમાં અહિં ઓફિસ ધરાવતા એડવોકેટ એમ.વાય.ચાનીયા તથા એડવોકેટ આતીષભાઈ ચાનીયા પાસેથી મળતી માહિતી મુજબ આ જગ્યાએ અગાઉ રોડ મંજૂર થયો હતો એટલે કે ગત ૨૩ મી માર્ચ ૨૦૨૦ ના રોજ જ્યારે વડાપ્રધાન દ્વારા જનતા કર્ફયુ જાહેર કરવામાં આવ્યું ત્યારે આ રોડ બનાવવાનો હતો અને મંજૂર થયેલા આ રોડ બનાવવા માટે ખોદકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. અને અચાનક લોકડાઉન આવી જતાં આ રોડ બનાવવાનો પડતો મુકી દેવામાં આવ્યો હતો ત્યારથી આજ સુધી એટલે કે લગભગ બે વર્ષથી અહીં રોડ બન્યો નથી..! અને આ રોડ ખખડધજ હાલતમાં હોવાના પગલે અનેક લોકોને આ રસ્તેથી નીકળવું માથાના દુખાવા સમાન બની રહ્યું છે માટે મંજૂર થયેલો આ રોડને સત્વરે બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે.

 






Latest News