મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે તા ૭ ના રોજ સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે અને ક્રીડા ભારતી દ્વારા સ્વતંત્રતાની રાષ્ટ્ર વંદના માટે ૭૫ કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ સમગ્ર દેશમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.

આ અંતર્ગત મોરબીની સાર્થક શાળામાં તા.૭ ને સોમવારના  દિવસે  સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવશે તેમજ સામુહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે વધુમાં શરીર માટે સર્વાંગીપણે ઉપયોગી સૂર્યનસ્કાર અંગે માહિતી પણ આપવામાં આવશે. અને આ કાર્યક્રમમાં ધો. ૬ થી ૯ સુધીના વિદ્યાર્થી પ્રત્યક્ષ ભાગ લેનાર છે તે તમામ વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ તકે ક્રીડા ભારતી મોરબીની ટિમ અને કેટલાક આગેવાનો હાજર રહેશે અને શાળાના સંચાલક કિશોરભાઈએ શાળાના અન્ય સ્ટાફવિદ્યાર્થીઓ અને વાલીઓને ઘેર બેઠા સૂર્યનમસ્કાર કરવાં માટે આહવાન કર્યું છે.






Latest News