મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત


SHARE











મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ ભરતનગરમાં રહેતા અને વીજ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને તેનું બાઈક ડેમ પાસેથી મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે તરવૈયાઓને બોલાવીને આપઘાત કરી લેનાર કર્મચારીની બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને હાલમાં આપઘાતના બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની અવધ સોસાયટી શેરી નંબર-૪ માં રહેતા અશ્વિનભાઈ ભાણજીભાઈ વામજા (ઉંમર ૪૫) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ભરતનગરમાં રહેતા તેઓના ભાઈજીના દીકરા ભાઈ રાજેશભાઈ ઓધવજીભાઈ વામજા (ઉંમર ૪૫) વીજ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ગત તા. ૩૧ રોજ સવારે સાત વાગ્યે ઓફિસે જવાનું કહીને તે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તે ઓફિસે પહોંચ્યાં ન હતા જેથી તેને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેનું બાઇક જીજે ૩ ઈજી ૧૯૩૮ મચ્છુ-૩ ડેમ પાસેથી મળી આવ્યું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તરવૈયાને બોલાવીને ડેમના પાણીમાં શોધખોળ કરતાં પાણીમાંથી રાજેશભાઈ ઓધવજીભાઈ વામજાની લાશ મળી આવી હતી જેથી તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના મનીષ બારૈયા કરી રહ્યા છે






Latest News