મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ


SHARE











મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ

મોરબીમાં કેનાલની જગ્યાએ પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નંબર- ૯ માં આવેલ સોસાયટીની ભૂગભ ગટરની લાઇન તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને ગંદકી ફેલાઈ છે અને અસહ્ય દુર્ગંધ આવે છે માટે રોગચાળો માથું ઊંચકે તેમ  છે જેથી કરીને તેને તાત્કાલિક તૂટેલી લાઇન રીપેર કરવામાં આવે તવી માંગ કરવામાં આવી છે  

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ-૯ માં મચ્છુ-૨ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલ આવેલ છે. જે અમરેલી ગામ તરફ જાય છે આ કેનાલ છે ત્યાં પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે અને કેનાલ નીચેની પસાર થતી પાલિકાની ભૂર્ગભ ગટરની પાઈપ લાઇન હાલમાં તૂટેલી ગયેલ છે અને તે પાઇપ મારફતે ૩૫ જેટલી સોસાયટીઓના ગટરના પાણીનો નિકાલ થાય છે અને હાલમાં આ લાઇન તૂટવાથી ત્યાં અસહ્ય દુર્ગંધ આવે છે અને ગંદકી ફેલાઈ છે જેથી કરીને તાત્કાલિક તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કામ નહી કરવામાં આવે તો નાછૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે






Latest News