મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મહિલાએ મકાન-દુકાન પચાવી પડતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE











વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મહિલાએ મકાન-દુકાન પચાવી પડતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મોરબી જીલ્લામાં જમીન ઉપર દબાણ કરનારા તત્વોની સામે ધડોધડ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ મકાન અને દુકાન મહિલાએ પચાવી પડેલ છે જેથી કરીને મિલકતના માલિકે હાલમાં તે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેર નંબર-૧ માં રહેતા અશોકભાઈ કિશનચંદ તુલશિયાણીએ હાલમાં વાંકાનેર સુનીતાબેન વિકાસભાઈ મીંડા નામની મહિલાની સામે તેની દુકાન અને મકાનમાં કબ્જો કરી લીધેલ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે અને હાલમાં ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં તેઓની માલીકીની દુકાન અને મકાન આવેલ છે તે પચાવી પાડવા માટે સુનીતાબેન વિકાસભાઈ મીંડા નામની મહિલાએ કબજો કરી લીધેલ છે જેથી કરીને અશોકભાઈ કિશનચંદ તુલશિયાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપી મહિલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ કેસની તપાસ ડીવાયએસપી મુનાફખાન પઠાણને સોપવામાં આવેલ છે






Latest News