મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ
મોરબી સિટી અને તાલુકામાં સસ્તા અનાજની દુકાનોની કામગીરી અલગ કરવાની માંગ
SHARE
મોરબી સિટી અને તાલુકામાં સસ્તા અનાજની દુકાનોની કામગીરી અલગ કરવાની માંગ
મોરબી સિટી અને તાલુકા મામલતદારની કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જુદી કરી નાખવામાં આવી છે અને સિટી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં નાયબ મામલતદારની નિમણૂક પણ કરી દેવામાં આવી છે તો પણ સિટી અને તાલુકાની સસ્તા અનાજની દુકાનોની કામગીરીને જુદી કરવામાં આવી રહી નથી જેથી કરીને તાલુકામાં કામ વધુ રહે છે અને લોકોને ધક્કા થાય છે જેથી કરીને સરકારે અગાઉ કરેલ હુકમની અમલવારી તાત્કાલિક કરવામાં આવે તે માટે જાગૃત યુવાને પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા જાગૃત યુવાન મેહુલભાઈ ગાંભવાએ હાલમાં જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરકાર દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ મોરબી સિટી અને તાલુકા વિસ્તારોમાં રેશનિંગની દુકાનો આવેલ છે તેને અલગ કરવા માટેનો હુકમ કરવામાં આવેલ છે જો કે, આજ દિવસ સુધી તે હુકમની અમલવારી કરવામાં આવી નથી જેથી કરીને ગ્રાહકોને હેરન થવું પડે છે માટે મોરબી તાલુકામાં કુલ ૧૦૨ દુકાનો આવેલ છે તેમાંથી શહેરની જો ૩૭ દુકાનોનું કામ અલગ કરવામાં આવે તો સિટી અને તાલુકાનાં ગ્રાહકોને મોટી રાહત થાય તેમ છે જેથી કરીને તાત્કાલિક રેશનિગની દુકાનોનું શહેર અને તાલુકામાં વિભાજન કરવામાં આવે અને સરકારના આદેશની અમલવારી કરવામાં આવે તેવી માંગ કરી છે









