ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)થી નેશનલ હાઇવે સુધીનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર ન થાય તો આંદોલન


SHARE











માળીયા (મી)થી નેશનલ હાઇવે સુધીનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર ન થાય તો આંદોલન

મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકા સાથે હંમેશા ઓરમાન વર્તન કરવામાં આવે છે અને હાલમાં ત્યાનો રસ્તો બિસ્માર છે તો પણ તેને રીપેર કરવા આવી રહ્યો નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ ગુજરાતના સીએમને રજૂઆત કરીને તાત્કાલિક રોડ રીપેર કરવાની માંગ કરેલ છે

માળિયા (મી.) ગામમાં સુવિધાના નામે આજે મીંડું છે અને ગામમાં રોડ, ભૂગર્ભ ગટર, પાણીની વ્યવથા ખુબ જ ખરાબ છે. માળિયા (મી.)માં બસસ્ટેન્ડ પણ નથી..! તાલુકા પંચાયત કચેરી ભંગાર હાલતમાં છે. હોસ્પિટલમાં પુરતી સુવિધા, ડોક્ટર અને દવાઓ નથી તદઉપરાંત માળિયા જે નેશનલ હાઇવે ૮-અ થી જે રસ્તાથી જોડાયેલ છે. તે રસ્તો ખુબ જ બિસ્માર છે અને વારંવાર રજુઆતો કરવા છતાં તંત્રમાં આ બાબતે કોઇ ધ્યાન આપતું નથી. તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજુઆત કરીને માંગણી કરેલ છે કે આ રોડનું રીપેરીંગ કામ તાતાક્લીક કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક  કાર્યકર્મો કરવામાં આવશે 






Latest News