મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીમાં કેશર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં પત્રકાર એસોસિએશન મોરબીના પ્રમુખ અતુલભાઈ જોશી, મિલનભાઈ નાનક, રવિભાઈ ભાડાણીયા, ચંદ્રેશભાઈ ઓધવિયા, જીગ્નેશભાઈ ભટ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ આંબલીયા, હિમાંશુભાઈ ભટ્ટ, સુરેશભાઇ ગોસ્વામી, રવિભાઈ મોટવાણી, પાર્થભાઇ પટેલ સહિતના હજાર રહ્યા હતા અને તેઓ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને આ ક્ષેત્રમાં કેવા કેવા પડકાર આવે છે ?, કેવી રીતે કામગીરી કરવાની હોય છે ?, પત્રકાર બનવા માટેના અભ્યાસ સહિતની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીને આપવામાં આવી હતી આ સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ દ્વારા પત્રકારત્વ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો કે જેના જવાબો વિદ્યાર્થીને જાણવાથી માહિતી મળે તેમજ તેઓને પત્રકાર બનવા માટેનું વિઝન ક્લિયર થાય તે માટે પુછવામાં આવ્યા હતા જેના પત્રકારોએ ખૂબ માહિતી સભર જવાબો આપ્યા હતા.






Latest News