મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ


SHARE













મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ

મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે ત્યારે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને પાઇપ લાઇનની બાજુમાં આવેલ ૧૫ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ખેડૂતોના રવીપાર્કને મોટા પ્રમાણમા નુકશાન થયું છે જે મુદે કલેકટરને ખેડૂતોએ રજૂઆત કરેલ છે

 મોરબી તાલુકના ભરતનગર ગામ પાસે કેનાલની બાજુમાં નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને તે પાણી ખેતરોમાં ભરાઈ ગયું હતું જેથી કરીને ભરતનગર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને આ મુદે રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા બ્રાહ્મણી- ડેમથી થી નવા સાદુળકા સુધી પાણીની પાઈપ લાઈન પથરવામાં આવેલ છે  જે નવી પાઈપલાઈનમાંથી પાણી છેલ્લા ચાર દિવસથી નીકળે છે અને તે પાણી ખેતરોમાં ફરી વળ્યા છે માટે પાકને નુકશાન થયું છે માટે ખેડૂતોએ વળતરની માંગણી કરેલ છે અને વળતરની માંગ સાથે હાલમાં કામ બંધ કરાવ્યુ છે






Latest News