મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન


SHARE





સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિનની ઉજવણી નિમિત્તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તદ્દન ફ્રી ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તદ્દન ફ્રીમાં કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓને આ કોર્સ પૂર્ણ કરાવીને પગભર બનાવવા મદદ કરવામાં આવી છે. અને આ વિદ્યા દાનરૂપી સેવા યજ્ઞમાં આર્થિક સહયોગ કચ્છ માધાપર હાલ દુબઈ નિવાસી નરેશભાઈ કાનજીભાઈ મેપાણી દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. અને વધુમાં નરેશભાઈ મેપાણીએ જણાવ્યુ હતું કે, આ રીતે જરૂરિયાતમંદ બાળકોને વિદ્યાદાનની સેવામાં મદદ કરીને તેઓ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ઉલેખનીય છે કે, આ કોર્સની ફી સામાન્ય રીતે 2500 થી 3000 જેટલી હોય છે જે સુજતન કોમ્પ્યુટર ક્લાસના સંચાલિકા શિક્ષિકા અને તેજસ્વી મેમ્બર હીનાબેન પરમારના સહયોગથી કરાવવામાં આવે છે. સંસ્થાના ફાઉન્ડર શ્રીમતી શોભનાબા સહદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સંસ્થાના પિતા સમાન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ 8 સપ્ટેમ્બરની ઉજવણી નિમિત્તે દર વર્ષે તેઓની સંસ્થા દ્વારા વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે અને કોર્સમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો હોય પોતાના આધારકાર્ડ સાથે વિદ્યાર્થિનીએ હીનાબેન પરમાર (98259 30156)નો તુરંત સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News