મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ


SHARE







મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શુભારંભ તા. 18 ને શનિવારથી થઈ રહ્યો છે અને ત્યાં વિનામૂલ્યે નાડી પરિક્ષણ દ્વારા અસાધ્ય રોગોનો ઇલાજ તથા પીડા રહિત દાંતની સંપૂર્ણ સારવાર કરવામાં આવશે.

મોરબીના આંદરણા ગામે કેશવાનંદ બાપુની પ્રેરણાથી માઁ કનકેશ્વરી દેવીની હાજરીમાં ભારતીય પ્રાચીન યોગપધ્ધતિથી દાંતની સારવાર તથા અનુભવી વૈધરાજ દ્વારા નાડી પરિક્ષણના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરેલ છે. તથા પ્રાકૃતિક ભોજન પધ્ધતિથી સ્વાસ્થ્યનું માર્ગદર્શન આપવામાં આવશે. આંદરણા ગામ તથા આસપાસના તમામ ગ્રામજનોને આ સેવાનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. ખાસ કરીને દંત ચિકિત્સક મહામંડલેશ્વર સ્વામી શ્રધ્ધાનંદ ગિરીજી મહારાજ કોઇપણ પ્રકારની પીડા વગર ઇંજેક્શન વગર જાલંધર યોગ પધ્ધતિથી દાંત કે દાઢ કાઢવા તથા દાંતની સંપૂર્ણ સારવાર તેમજ મોઢાના ચાંદાની પણ સારવાર આપશે. અને દર્દીને ડાયાબિટીશ હોય તો પણ કોઈ જ નુકશાન વગર દાંત કાઢી આપવામાં આવશે. તેના માટેનો સમય સવાર: ૯.૦૦ વાગ્યાથી રહેશે. જયારે નાડી પરિક્ષણ વૈધ રણજીતસિંહ (ભીખાબાપા) લાલભાઈ નાડી પરિક્ષણથી શરીરના અસાધ્ય રોગોની ચિકિત્સા કરશે અને તેનો સમય બપોરે ૪.૦૦ વાગ્યાથી રહેશે. તેવી જ રીતે પ્રાકૃતિક આહાર પધ્ધતિ માટે બી.વી. ચૌહાણ તથા રાજેશભાઈ પટેલ (ડૉ. ગ્રીન) માત્ર ભોજનના પરિવર્તનથી સ્વાસ્થ્યનું માર્ગદર્શન આપશે અને તેનો સમય સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ કાર્ય શ્રી કનકેશ્વરી દેવી ગુરૂ કેશવાનંદ બાપુ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વધુ માહિતી માટે મોબાઈલ ૯૭૨૭૭ ૩૧૩૬૧, ૯૮૨૫૨ ૫૧૯૭૯, ૮૫૧૧૦ ૫૭૯૩૩ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News