મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળના સત્સંગ હોલમાં દીકરા-દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને રાણસરિયા પરિવારે લીધો ગૌસેવાનો લાભ


SHARE







મોરબીમાં પાંજરાપોળના સત્સંગ હોલમાં દીકરા-દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને રાણસરિયા પરિવારે લીધો ગૌસેવાનો લાભ

મોરબીમાં મકનસર પાસે આવેલ પાંજરાપોળ ખાતે દાતાઓના સહકારથી સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે ત્યાં મોરબીના ઉદ્યોગપતિ દ્વારા તેના જોડિયા દીકરા અને દીકરીના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કર્યુ હતી અને અંદાજે 800 જેટલા લોકોની હાજરીમાં ભારતીય સંસ્કૃતિને ઉજગર કરતાં ગૌસેવાનો લાભ લઈને રાણસરિયા પરિવારે જન્મ દિવસની ઉજવણીમાં બિન જરૂરી ખર્ચાઓ કરતાં અન્ય લોકોને નવો રાહ ચીંધ્યો છે.

મોરબીમાં ધર્મપ્રેમી જનતા અને ઉદ્યોગકારોના સહકારથી પાંજરાપોળનો વિકાસ થયો છે અને આજની તારીખે મોરબીની પાંજરાપોળ ગુજરાતની નંબર વન પાંજરાપોળ છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવામાં પાંજરાપોળ ખાતે દાતાઓના સહકારથી સત્સંગ સભા હૉલ બનાવવામાં આવેલ છે અને ત્યાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે અને તેમાં પાંજરાપોળ દ્વારા આયોજકોને તમામ સહકાર આપવામાં આવે છે તેવામાં મૂળ ટંકારા તાલુકાનાં હડમતીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી ખાતે રહેતા રાણસરીયા ધરમશીભાઈ અરજણભાઈ અને વિજયાબેન ધરમશીભાઈના દીકરા રાણસરીયા સંજયભાઈ ધરમશીભાઈ તેમજ પુત્રવધૂ કૃપાલીબેન સંજયભાઈ દ્વારા તેઓના જોડિયા દીકરા અને દીકરીના જન્મ દિવસની ઉજવણી પાંજરાપોળના સત્સંગ હૉલ ખાતે કરવામાં આવી હતી અને ત્યારે દીકરા રાણસરીયા વંશ સંજયભાઈ અને દીકરી રાણસરીયા વીરા સંજયભાઈના જન્મ દિવસ નિમિતે કેક કટિંગ કરવાના બદલે ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાણસરિયા પરિવાર દ્વારા 41 હજારનું દાન પાંજરાપોળમાં આપવામાં આવ્યું હતું આ તકે રાણસરિયા પરિવારના આમંત્રણથી 800 જેટલા લોકો ત્યાં આવ્યા હતા તેના માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સમલી ગામેથી નરભેરામભાઈ પટેલ અને તેનું મંડળ પણ ત્યાં ધૂન ભજન કરવા માટે આવ્યું હતું અને આ મંડળ દ્વારા પાંજરાપોળને આર્થિક અનુદાન પણ આપવામાં આવતું હોય છે. ઉલેખનીય છે કે, મોરબી પાંજરાપોળ દ્વારા લિલાપરરફાળેશ્વર અને મકનસર ખાતે કુલ મળીને 6300થી વધુ ગૌવંશનો આજની તારીખે નિભાવ કરવામાં આવે છે. ત્યારે ગૌસેવાના કામમાં સહયોગ આપવાના ભાવ સાથે ઉદ્યોગકારો અને અન્ય લોકો દ્વારા જન્મ દિવસ સહિતના પ્રસંગોને ગૌસેવાની સાથે જોડીને ઉજવણી કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિનું જતન થશે તેની સાથો સાથ ગૌસેવાનો સહુને લાભ મળશે અને પાંજરાપોળમાં રાખવામા આવેલ ગૌવંશોના નિભાવ માટે યોગદાન પણ મોરબીના લોકો આપી શકશે તેવી લાગણી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઈ ખોડાભાઈ પટેલએ જણાવ્યુ છે.






Latest News