મોરબીના જેતપર ગામે 23 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે બેઠક કર્યા બાદ નક્કી કરાશે વીજ પોલ વળતર માટે આંદોલન પાર્ટ 3 ની રણનીતિ મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે
Breaking news
Morbi Today

મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં


SHARE







મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવાનના સાળાને જાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા રાજુભાઈ દિલીપભાઈ અજનાર (26) નામનો યુવાન તેના સાળા શીવાભાઈ રાધેશ્યામ રાવતની સાથે બાઈક ઉપર મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રાજુભાઈ અજનારને શરીરે ઇજા થવાથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જ્યારે અકસ્માતના આ બનાવમાં મૃતકના સાળા શીવાભાઈ રાવતને ગંભીર જાઓ થહોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રાજુભાઈ તથા તેનો સાળો શીવાભાઈ બંને બાઈક ઉપર બેલાથી લક્ષ્મીનગર ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાજુભાઈનું મોત નીપજ્યું છે અને રાજુભાઈ લક્ષ્મીનગર ગામ પાસે આવેલ કોલસાના ડેલામાં કામ કરતા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે અને અકસ્માતના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

બાળક સારવારમાં
મોરબીના જેતપર ગામે વિનોદભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના 13 વર્ષના બાળક ભૂરો રાકેશભાઈ કોળીને વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી જનાવર કરડી જવાના કારણે બાળકને સારવાર માટે જેતપર ગામે આવેલ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રિક્ષામાંથી કૂદી જતાં ઇજા
મોરબી તાલુકાના ગાળા ગામ પાસે રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે તે રિક્ષામાંથી ધુમાડો નીકળતો હોય રીક્ષામાં બેઠેલા વ્યક્તિઓ દ્વારા ચાલુ રિક્ષાએ રિક્ષામાંથી નીચે કૂદકા મારવામાં આવ્યા હતા જેથી આ બનાવમાં મદીનાબેન હબીબભાઈ સામતાણી (25), ખતીજાબેન રહેમાનભાઈ મોર (45), સાહિલ હબીબભાઈ સામતાણી (2) અને અયાન હબીબભાઈ સામતાણી (5) રહે. બધા માળીયા મીયાણા વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.






Latest News