મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક


SHARE











વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક

મોરબી જિલ્લામાં વિકાસના નામે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાંથી વધુ 9 નવી વિજલાઇનો પસાર થવા જઇ રહી છે. જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાંથી પસાર થનારી ત્રણ હેવી વિજલાઇન મામલે ખેડૂતો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિજલાઇનોના કારણે ખેડૂતોની માઠી બેસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અંદાજે 10 જેટલા ગામોમાંથી આ હેવી વિજલાઇન પસાર થવાની છે. તંત્ર દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં જ શરુ કરી દેવામાં આવનાર છે. વિજલાઇનના ટાવરો અને વાયરો ખેતરોમાંથી પસાર થવાના કારણે ખેડૂતોની મહામૂલી જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

આ ગંભીર મુદ્ાને લઇને ખેડૂત આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જો કે આ બેઠકમાં કોઇ સંતોષકારક ઉકેલ આવી શક્યો નથી. તંત્ર દ્વારા જે વળતરની જાહેરાત  કે વાત કરવામાં આવી છે તેનાથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનના બદલામાં મળનારુ વળતર ખૂબ જ ઓછું છે અને તેનાથી લાંબા ગાળે ખેતીને મોટુ નુકશાન જશે. બેઠક બાદ ખેડૂત આગેવાનોના વલણ પરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તેઓ આ અન્યાય સામે ઝુકવા તૈયાર નથી.

જો આગામી દિવસોમાં વળતરની રકમ બાબતે યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. વિકાસના નામે ખેડૂતોના ભોગે લેવાતા નિર્ણયો સામે હવે ગ્રામીણ વિસ્તારોમાં રોષનો જવાળામુખી ફાટવાની તૈયારી છે






Latest News