મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક
મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ
SHARE
મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ એક દિવ્યાંગ વ્યક્તિને નિઃશુલ્ક ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સેવાકીય કાર્યોનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ વ્યક્તિઓના જીવનમાં આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને ગતિશીલતા લાવવાનો છે. અને ટ્રાયસિકલ મળવાથી લાભાર્થીને રોજિંદા જીવનમાં અવરજવર કરવામાં મોટી સહાય મળશે. ખાસ કરીને મુસ્કાન વેલ્ફેર સોસાયટી સતત જરૂરિયાતમંદ, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહી છે.