મોરબીના જેતપર ગામે 23 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે બેઠક કર્યા બાદ નક્કી કરાશે વીજ પોલ વળતર માટે આંદોલન પાર્ટ 3 ની રણનીતિ મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે
Breaking news
Morbi Today

મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ


SHARE







મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ

મોરબીના હળવદ શહેરી વિસ્તારમાં આવતા ભવાનીનગર વિસ્તારમાં રહેતા સકીનાબેન વલીમામદભાઈ જેડા (૩૨) નામની મહિલાને તેઓના ઘરે તેમના પતિ દ્વારા ધારિયા વડે માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજા પામ્યા હોય હળવદની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ અત્રે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા અને અહીં પણ પ્રાથમિક સારવાર આપીને ઇજાગ્રસ્ત સકીનાબેન જેડાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ વલીભાઈ ઓસમાણભાઈ વિરમાણી નામના ૬૦ વર્ષના વૃદ્ધને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા પરિવારની દીપ્તિબેન સુભાષભાઈ રાધળા નામના ૫૮ વર્ષીય મહિલા ઘરે ગરમ પાણીમાં દાજી જતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ ગીરીરાજ સોસાયટીમાં રહેતા ચેતનાબા યશપાલસિંહ જાડેજા નામના ૩૩ વર્ષીય મહિલા કોઈ દવા પી ગયા હતા.જેથી તેઓને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પંકજભાઈ ગુઢડા દ્વારા બનાવની નોંધ કરી તે બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના જેતપર રોડ પાવળીયારી પાસે રીક્ષા ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા વિક્રમભાઈ દેવેનભાઈ ચૌહાણ (૪૫) અને હોથીભાઈ મોતીભાઈ ચૌહાણ (૫૫) રહે.બંને રફાળેશ્વરને ઈજા થઈ હોય મોરબી સિવિલે અને બાદમાં વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ આરટીઓ કચેરી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ અનિલભાઈ બચુભાઈ સોલંકી (૩૫) રહે.રફાળેશ્વરને ઈજા થઈ હોય તેમને પણ અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ તાલુકા પોલીસે જણાવેલ છે.

વાહનમાંથી પડી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર વિસ્તારમાં રહેતા વર્ષાબેન હરેશભાઈ સાલાણી નામની ૨૪ વર્ષીય પરિણીતા તા.૩૦-૬ ના બાઈકમાં બેસીને કચ્છ હાઇવે ઉપર આવેલા સામખીયાળી નજીકના અજંતાના કારખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે તેઓ કોઈ કારણસર બાઈકમાંથી નિચે પડી ગયા હોય ઈજા પામતા અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા ગામે રહેતા રફિકભાઈ ગુલમામદભાઈ રાઉમા નામના ૩૫ વર્ષના યુવાનને પણ ઇજા પામેલ હાલતમાં સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તે સુપર કેરી (છોટા હાથી) વાહનમાં દૂધની ફેરી કરતો હોય ફેરી કરીને આવતો હતો ત્યારે લાકડીયા ગામના પાટીયા પાસે તેનું વાહન પલ્ટી મારી જતા તે ઇજા પામેલ હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો






Latest News