મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ !


SHARE







મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ !

મોરબીના જેતપર ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યાં ઉપવાસી છાવણીએ જઈને થોડા દિવસો પહેલા હકાભા ગઢવીએ ડાયરો કર્યો હતો અને ત્યાર બાદ ખેડૂતોના આંદોલન માટે મંચ ઉપરથી સરકારને વિનંતી કરી હતી અને આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું જો કે, ત્યાર બાદ હકાભા ગઢવીને ઉપવાસી છાવણી ખાતે આવવાની મનાઈ કરવામાં આવી હતી જેથી કરીને વિવાદ શરૂ થયો છે અને ત્યાર બાદ હકાભા ગઢવી અને આંદોલનકારી નીલેશ એરવાડીયા વચ્ચે થયેલ વાતનો ઓડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હકાભા ગઢવી એક જ સવાલ કરી રહ્યા છે કે મને આવવાની ના કેમ પડી ? જેની સામે ખુલાસો કરતાં નીલેશ એરવાડિયાએ કહ્યું હતું કે, હકાભા સહિત તમામ લોકો માટે છાવણી ખુલ્લી છે અને ગમે ત્યારે તેઓ છાવણીએ આવી શકે છે હાલમાં તેઓને કોઈ ગેર સમજ થઇ છે કેમ કે, આંદોલન કમિટીની મિટિંગ હતી જેથી તેઓને આવવાની ના પડી હોય શકે છે.






Latest News