મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત


SHARE









મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત

મોરબી જિલ્લાના નાગરિકો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવાના આશયથી જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ તેમજ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના આદેશાનુસાર, અગાઉ જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા નિરીક્ષક જમીન દફતર’ (DILR) વર્ગ-૨ ની કામગીરીને હવે સ્થાનિક સ્તરે લઈ જવામાં આવી છે. તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી અને આયોજનબદ્ધ નિરાકરણ લાવવા માટે મોરબી જિલ્લામાં નવી ૬ તાલુકા કક્ષાની જમીન દફતર નિરીક્ષક’ (ILR) વર્ગ-૨ ની કચેરીઓ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ નવતર વ્યવસ્થાથી જિલ્લાના અરજદારોને પોતાના સરકારી કામો માટે હેરાન થઈને જિલ્લા મથકે ધક્કા ખાવા નહીં પડે અને તેમના રહેઠાણની નજીક જ ત્વરિત સરકારી સેવાઓ ઉપલબ્ધ બનશે.

નવી કાર્યરત થયેલી આ તમામ ૬ કચેરીઓ અંતર્ગત (૧). જમીન દફતર નિરીક્ષક, મોરબી (શહેર) ની કચેરી સીટી સર્વે કચેરી, તાલુકા સેવા સદન, લાલબાગ, રૂમ નં. ૧૪૨ થી ૧૪૫, મોરબી-૨ખાતે કાર્યરત કરાઈ છે. (૨) જમીન દફતર નિરીક્ષક, મોરબી (ગ્રામ્ય) ની કચેરી ડી.આઈ.એલ.આર. કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. ૨૦૨ થી ૨૦૯, કલેક્ટર કચેરી, સો-ઓરડી વિસ્તાર, મોરબી-૨ખાતેથી સેવાઓ આપશે. (૩) ટંકારા તાલુકાના નાગરિકો માટે જમીન દફતર નિરીક્ષકની કચેરી ગ્રામ પંચાયત કચેરી (મંત્રી ક્વાર્ટર વાળુ મકાન), શાક માર્કેટ પાસે, રાજબાઈ ચોક, ટંકારાખાતે શરૂ કરવામાં આવી છે. (૪) વાંકાનેર તાલુકા માટેની કચેરી સીટી સર્વે કચેરી-વાંકાનેર તથા સબ ટ્રેઝરી વાંકાનેર, દાણાપીઠ ચોક, જૂની જેલ, વાંકાનેરના સરનામે કાર્યરત થઈ છે. (૫) હળવદ વિસ્તારના અરજદારો માટે જમીન દફતર નિરીક્ષકની કચેરી જૂની સરકારી હોસ્પિટલ, આંબેડકર સર્કલ પાસે, હળવદખાતે કાર્યરત કરવામાં આવી છે. જ્યારે (૬) માળિયા (મી.) તાલુકાની કચેરી પશુ દવાખાનું, માળીયા (મી.)ના પરિસરમાંથી નાગરિકોને પોતાની સેવાઓ આપશે. મોરબી જિલ્લાના તમામ જમીનધારકો, ખેડૂતો અને જાહેર જનતાને જમીન દફતરને લગતી કામગીરી માટે પોતાના સંબંધિત તાલુકાની આ નવી કચેરીઓનો જ સંપર્ક સાધવા મોરબીના સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્ઝ મયુર કરમટાની યાદીમાં જણાવાયું છે.






Latest News