મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ !
SHARE
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ !
મોરબીના જેતપર ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યાં ઉપવાસી છાવણીએ જઈને થોડા દિવસો પહેલા હકાભા ગઢવીએ ડાયરો કર્યો હતો અને ત્યાર બાદ ખેડૂતોના આંદોલન માટે મંચ ઉપરથી સરકારને વિનંતી કરી હતી અને આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું જો કે, ત્યાર બાદ હકાભા ગઢવીને ઉપવાસી છાવણી ખાતે આવવાની મનાઈ કરવામાં આવી હતી જેથી કરીને વિવાદ શરૂ થયો છે અને ત્યાર બાદ હકાભા ગઢવી અને આંદોલનકારી નીલેશ એરવાડીયા વચ્ચે થયેલ વાતનો ઓડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હકાભા ગઢવી એક જ સવાલ કરી રહ્યા છે કે મને આવવાની ના કેમ પડી ? જેની સામે ખુલાસો કરતાં નીલેશ એરવાડિયાએ કહ્યું હતું કે, હકાભા સહિત તમામ લોકો માટે છાવણી ખુલ્લી છે અને ગમે ત્યારે તેઓ છાવણીએ આવી શકે છે હાલમાં તેઓને કોઈ ગેર સમજ થઇ છે કેમ કે, આંદોલન કમિટીની મિટિંગ હતી જેથી તેઓને આવવાની ના પડી હોય શકે છે.