મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગરના પા૨સ સ્વીટના માલીકના પુત્રએ કરેલ આપઘાત કેશમાં મૃતકના બનેવીની આગોતરા જામીન નામંજુર કરતી સુરેન્દ્રનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ


SHARE







સુરેન્દ્રનગરના પા૨સ સ્વીટના માલીકના પુત્રએ કરેલ આપઘાત કેશમાં મૃતકના બનેવીની આગોતરા જામીન નામંજુર કરતી સુરેન્દ્રનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ

સુરેન્દ્રનગર જીલ્લાના પારસ સ્વીટના માલીક હિતેષભાઈ અંબાલાલ શેઠના પુત્ર ધરણેન્દ્રભાઈએ તેમના માતા-પિતા, મોટાભાઈ, ભાભી તથા બનેવીના ત્રાસથી તથા તેનો કાયદેસરનો થતો મિલ્કતનો હકક નહિ આપવાથી તા.૧૧-૯-૨૦૨૦ ના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલ જેની સ્યુસાઈટ નોટ તથા ફોન રેકોર્ડીંગના આધારે સ્વઃધરણેન્દ્રભાઈના પત્નિ રીયાબેન કે જેઓ હાલ તેમના પીયર હોય તેઓએ મોરબીના જાણીતા વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડા સમક્ષ આપવીતી વર્ણતા તા.૨૭-૭-૨૦૨૧ ના રોજ પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી.તે અંગેની જાણ આરોપી હિતેષભાઈ, ભાવનાબેન, મનોજભાઈ, હેતલબેન તથા શાલીનકુમારને થઇ જતા તેઓએ આગોતરા જામીન અરજી તા.૬–૧૨–૨૦૨૧ ના રોજ કરી હતી.

પરંતુ સરકારી વકીલ એમ.પી.સભાણી (ડી.જી.પી.) ની ધારદાર દલીલ તથા મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડાએ ફરીયાદી તરફથી વીથ પ્રોસુકીશનમાં વકીલાતનામું રજુ કરી લેખિત વાંધા જવાબ રજુ કરતા નામદાર કોર્ટે આ ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરેલ છે અને ત્યારબાદ તા.૧૧-૧૨-૨૦૨૧ ના રોજ પાંચેય આરોપી હિતેષભાઈ, ભાવનાબેન, મનોજભાઈ, હેતલબેન તથા શાલીનકુમાર સામે આઈપીસીની કલમ-૩૦૬ મુજબનો ગુન્હો નોંધાતા આરોપી શાલીનકુમાર એકલાએ ફરી તા.૨૧-૧૨-૨૦૨૧ ના રોજ આગોતરા જામીન અરજી કરતા ફરી સુરેન્દ્રનગરના ડીજીપી એમ.પી.સભાણીની ધારદાર દલીલ તથા ફરીયાદી તરફે વિથ પ્રોસ્સુકીશનમાં મોરબીના જાણીતા સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડા તરફથી ફરી જામીન અરજીની સામે વાંધા જવાબો રજુ કરાતા નામદાર કોર્ટ તરફથી તેને ગ્રાહ્ય રાખીને આરોપીની આગોતરા જામીન અરજી પુન: રદ કરવાનો હુકમ તા.૧-૧-૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ છે.






Latest News