મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગરના પા૨સ સ્વીટના માલીકના પુત્રએ કરેલ આપઘાત કેશમાં મૃતકના બનેવીની આગોતરા જામીન નામંજુર કરતી સુરેન્દ્રનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ


SHARE











સુરેન્દ્રનગરના પા૨સ સ્વીટના માલીકના પુત્રએ કરેલ આપઘાત કેશમાં મૃતકના બનેવીની આગોતરા જામીન નામંજુર કરતી સુરેન્દ્રનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ

સુરેન્દ્રનગર જીલ્લાના પારસ સ્વીટના માલીક હિતેષભાઈ અંબાલાલ શેઠના પુત્ર ધરણેન્દ્રભાઈએ તેમના માતા-પિતા, મોટાભાઈ, ભાભી તથા બનેવીના ત્રાસથી તથા તેનો કાયદેસરનો થતો મિલ્કતનો હકક નહિ આપવાથી તા.૧૧-૯-૨૦૨૦ ના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલ જેની સ્યુસાઈટ નોટ તથા ફોન રેકોર્ડીંગના આધારે સ્વઃધરણેન્દ્રભાઈના પત્નિ રીયાબેન કે જેઓ હાલ તેમના પીયર હોય તેઓએ મોરબીના જાણીતા વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડા સમક્ષ આપવીતી વર્ણતા તા.૨૭-૭-૨૦૨૧ ના રોજ પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી.તે અંગેની જાણ આરોપી હિતેષભાઈ, ભાવનાબેન, મનોજભાઈ, હેતલબેન તથા શાલીનકુમારને થઇ જતા તેઓએ આગોતરા જામીન અરજી તા.૬–૧૨–૨૦૨૧ ના રોજ કરી હતી.

પરંતુ સરકારી વકીલ એમ.પી.સભાણી (ડી.જી.પી.) ની ધારદાર દલીલ તથા મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડાએ ફરીયાદી તરફથી વીથ પ્રોસુકીશનમાં વકીલાતનામું રજુ કરી લેખિત વાંધા જવાબ રજુ કરતા નામદાર કોર્ટે આ ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરેલ છે અને ત્યારબાદ તા.૧૧-૧૨-૨૦૨૧ ના રોજ પાંચેય આરોપી હિતેષભાઈ, ભાવનાબેન, મનોજભાઈ, હેતલબેન તથા શાલીનકુમાર સામે આઈપીસીની કલમ-૩૦૬ મુજબનો ગુન્હો નોંધાતા આરોપી શાલીનકુમાર એકલાએ ફરી તા.૨૧-૧૨-૨૦૨૧ ના રોજ આગોતરા જામીન અરજી કરતા ફરી સુરેન્દ્રનગરના ડીજીપી એમ.પી.સભાણીની ધારદાર દલીલ તથા ફરીયાદી તરફે વિથ પ્રોસ્સુકીશનમાં મોરબીના જાણીતા સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર વકીલ હાર્દિક ગોસ્વામી, હિરેન ગોસ્વામી તથા રાજેશ ચાવડા તરફથી ફરી જામીન અરજીની સામે વાંધા જવાબો રજુ કરાતા નામદાર કોર્ટ તરફથી તેને ગ્રાહ્ય રાખીને આરોપીની આગોતરા જામીન અરજી પુન: રદ કરવાનો હુકમ તા.૧-૧-૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ છે.






Latest News