મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી : સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવા માંગ


SHARE











મોરબી : સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવા માંગ

જે રીતે ઓબીસી તેમજ અન્ય કુમાર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મળે છે તે રીતે સ્વનિર્ભર કોલેજો અને શાળાઓમાં પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ ફરીથી શરૂ કરવામાં આવે તેવી રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ માંગ કરેલ છે.

સરકાર દ્વારા પહેલા હાયરસેકન્ડરી, સ્કૂલો તેમજ કોલેજોમાં શિષ્યવૃતિ આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આ શિષ્યવૃતિ સરકારી સ્કૂલો કોલેજ, ગ્રાન્ટ મેળવતી સ્કુલ કોલેજોમાં O.B.C. હેઠળ તેમજ અન્ય જ્ઞાતિઓના બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. જયારે સ્વનિર્ભર સ્કુલ, કોલેજોમાં જે લોકો સરકારના નિયમ મુજબ એડમીશન મેળવે છે. ત્યારે ફક્ત વિદ્યાર્થીનીઓને જ આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. પરંતુ કુમાર વિધ્યાર્થીઓને આ લાભ આપવામાં આવતો નથી.તો પહેલાની માફક બધા જ ને આ લાભ આપવામાં આવતો હતો તેવી જ રીતે હવેથી બધાને આ લાભ મળે તે માટે યોગ્ય આદેશો કરવાની રાજયના મુખ્યમંત્રી સમક્ષ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ માંગ કરેલ છે.                                                        






Latest News