સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત


SHARE











મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઊતરી રહેલા યુવાનને પાછળથી આવી રહેલા બાઈકચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને કપાળમાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બાઇક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી ગયો હોવાથી હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે શક્તિપરા પંચાયત પાસે રહેતા રમેશભાઈ ગોરધનભાઈ ડઢૈયા જાતે કોળી (ઉ.૩૪) એ હાલમાં અજાણ્યા બાઇક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ નાનાભાઈ મનોજભાઈ ગોરધનભાઈ ડઢૈયા જાતે કોળી (ઉ.૨૮) પોતે મજૂરીકામ કરતો હોય ઘરેથી શક્તિ ચેમ્બર પાસે ગયો હતો અને રિક્ષામાંથી તે નીચે ઊતરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી મનોજભાઈ ગોરધનભાઈને માથા અને કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત સર્જીને અજાણ્યો બાઇક ચાલક પોતાનું બાઇક લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી હાલમાં રમેશભાઈ ગોરધનભાઈ ડઢૈયાએ અજાણ્યા બાઇક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મનોજભાઈને બે દીકરા અને એક દીકરી હોય અકસ્માતના આ બનાવના કારણે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News