મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી


SHARE





વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી

મોરબીમાંથી મચ્છુની કેનાલ પસાર થાય છે અને તેમાં હાલમાં સિંચાઈ માટે થઈને પાણી છોડવામાં આવેલ છે જો કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી જેથી કેનાલમાં પાણીનો પ્રવાહ રોકાઈ ગયો છે અને હાલમાં રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટ નજીક કેનાલ ઓવરફ્લો થઈ હોવાથી વગર વરસાદે રોડ ઉપર પાણી પાણી થઈ ગયું છે જેથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે

મોરબી અને માળીયા તાલુકામાં ખેડૂતો ચોમાસાનું આગોતરું વાવેતર કરી શકે તે માટે તેને દર વર્ષે મચ્છુ-2 ડેમમાંથી મચ્છુ કેનાલ મારફતે મોરબી અને માળિયા તાલુકાના કુલ મળીને 17 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ સિંચાઈ માટેનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે જોકે કેનાલની યોગ્ય રીતે સાફ-સફાઈ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે. જેથી હાલમાં છેવાડાના ગામ સુધી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું નથી તેવામાં રાત્રિ દરમિયાન મોરબી નજીક આવેલ રવાપર ગામ પાસેથી પસાર થતી મચ્છુની કેનાલ ઓવરફ્લો થઈ હતી અને રસ્તા ઉપર લગભગ અડધાથી એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને આ રોડ ઉપરથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

વધુમાં મોરબી તાલુકા પંચાયતના માજી સભ્ય લાલતિભાઈ કસૂન્દ્રાએ જણાવ્યુ હતું કે, એક બાજુ મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો કેનાલમાંથી તેઓને સિંચાઈ માટેનું પાણી મળે અને તેઓ કપાસ સહિતના પાકોનું આગોતરું વાવેતર કરી શકે તે માટેનું આયોજન કરી રહ્યા છે અને પાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓને કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું નથી અને બીજી બાજુ અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કેનાલની અંદર સફાઈ કરવામાં આવી નથી તેમજ કેનલના સાઈફનમાં પણ કચરા ભરાયેલા હોવાના કારણે હાલમાં કેનાલ ઓવરફ્લો થઈ રહી છે અને પાણીનો બગાડ થઈ રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારી અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે જો આકરા પગલાં લેવામાં આવે તો જ પાણીનો બગાડ થતો અટકે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તેવું હાલમાં ખેડૂત સહિતના લોકો કહી રહ્યા છે 




Latest News