મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં અકસ્માતના જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત: એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત


SHARE







મોરબી તાલુકામાં અકસ્માતના જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત: એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં તથા રવિરાજ ચોકડી નજીક આવેલ કારખાનામાં જુદી જુદી બે જગ્યાએ અકસ્માતના બે બનાવ બન્યા હતા અને આ બે બનાવમાં બે યુવાનોના મોત નિપજ્યા છે આમ ત્રણેય અપમૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે રહેતા ચિરાગભાઈ ભીખાભાઈ રતનાણી (34) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ત્રાજપર ચોકડી ગોકુલ પાર્ક ખાતે રહેતા ધીરજભાઈ મોતીલાલ માલવી (37) નામનો યુવાન રંગપર ગામની સીમમાં આવેલ સોલેન્ટો સીરામીક કારખાનામાં કામ કરતા સમયે 30 ફૂટની ઊંચાઈએ પતરાં ઉપરથી નીચે પટકાતા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કલ્પેશભાઈ નરભેરામભાઇ (32) રહે.ગાળા તા.મોરબી એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે. માઇક્રોન પ્રા.લી. નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સંતોષભાઈ વિજયભાઈ માહવા (40) નામનો યુવાન કારખાનામાં ક્રેનથી સાઇક્લોન ઉપર લોખંડનું પ્લેટફોર્મ ચડાવતો હતો.ત્યારે ક્રેનનો બેલ્ટ તૂટી જવાના કારણે પ્લેટફોર્મ નીચે દબાઈ જવાથી યુવાનને ગંભીર ઇજા થઈ હતી.જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ આ અકસ્માત બનાવમાં મૃતક સંતોષની સાથે કામ કરી રહેલા અન્ય ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી હતી.જેમાં અસલમ (ઉંમર ૩૦) ભીમ મહંતો (ઉમર ૨૪) તેમજ ઉપેન્દ્ર મહંતો (ઉમર ૨૧) નામના અન્ય ત્રણ મજૂરોને પણ ઇજાઓ પહોંચતા તેમને પણ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા જણાવાયેલ છે.






Latest News