વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું
મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું !
SHARE
મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું !
મોરબીના લીલાપરથી વીરપર બાજુ જવા માટે નવો રોડ ચાર મહિના પહેલા બનાવવામાં આવેલ છે અને તે રોડને તોડીને હાલમાં ખાનગી બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી ચકચાર મારી ગયેલ છે. અને માલીકીની જમીન રોડ માટે આપી હતી તેનાથી વધુ જમીન ઉપર રોડ બનાવેલ હોવાથી આ રોડને તોડીને બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
મોરબીના લીલાપર અને ટંકારાના વીરપર ગામને જોડતો 8 કિલો મીટરનો 16 કરોડના ખર્ચે જીલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નવો રોડ બનાવવામાં આવ્યો છે અને 4 મહિના પહેલા જ બનાવવામાં આવેલ રોડનું કામ પૂર્ણ થયું છે અને રોડ ગ્રામજનો માટે ખુલ્લો મુકાયો છે ત્યારે હાલ નવા બનેલા આ રોડને તોડીને બીમ કોલમ ઉભા કરીને ખાનગી બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી નવો રોડ શા માટે તોડી નાખવામાં આવ્યો છે તેની જિલ્લા પંચાયતમાં કોઈ અધિકારીને જાણ નથી જો કે, આ નવો 16 કરોડના ખર્ચે બનેલ રોડ ખાનગી માલિકની સહમતીથી તેની જમીન ઉપર બનાવવામાં આવેલ છે પરંતુ જમીનના માલિકે જેટલી જમીન આપી હતી તેના કરતાં વધુ જમીન ઉપર રોડ બનાવવામાં આવેલ હોવાથી ત્યાં જમીનના માલિકે રોડને તોડીને બાંધકામ શરૂ કર્યું છે.