વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું
SHARE
વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું
વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અને પર્યાવરણ પ્રેમી પ્રજાવત્સલ રાજવી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં વર્તમાન રાજવી રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા તાલુકાના રાજાવડલા ગામે વૃક્ષારોપણ કરી સ્વ. મહારાજ દિગ્વિજયસિંહજી ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જતિનભાઈ ફુલતરિયા, ઉપપ્રમુખ કેવિનભાઈ શાહ સહિત જિલ્લા તાલુકાના યુવા મોરચાના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયું હતું.