ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી


SHARE











મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ માહાપાલિકા હસ્તકના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કરવામાં આવતું પાણી ત્યાં તળાવમાં છોડવામાં આવે છે જો કેજે તળાવમાં હાલમાં પાણી છોડવામાં આવે છે તેનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને હાલમાં એક બે નહીં પરંતુ લગભગ 10 થી 15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે જેથી તેઓ ચોમાસુ પાક લેવા માટે પોતાના ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

મોરબી શહેરી વિસ્તારમાંથી નીકળતા ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરીને ખેડૂતોને ખેતી માટે થઈને તે પાણી આપવામાં આવે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મોરબીના પંચાસર રોડ ઉપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે અને નગરપાલિકા વખતે બનાવવામાં આવેલ 24 એમએલડી પાણીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આજની તારીખે 12 થી 13 એમએલડી જેટલું પાણી ટ્રીટમેન્ટ કરીને શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં બનાવવામાં આવેલ તળાવમાં ભરવામાં આવતુ હોય છે જોકેહાલમાં તળાવનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવ્યો છે જેથી આ પાણી તળાવની પાછળના ભાગમાં આવેલ એક કે બે નહિ પરંતુ 10 થી 15 જેટલા ખેડૂતોના ખેતરની અંદર ભરાઈ જાય છે જેથી કરીને ખેડૂતો તેના ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

હાલમાં મનસુખભાઈ પરમાર, લાલજીભાઈ નકુમ સહિતના ખેડૂતો પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓ પોતાના ખેતરમાં ચોમાસા પહેલા વાવેતર કરીને દર વર્ષે સીઝનમાં ચોમાસું એક જ પાક લેતા હોય છે જોકે હાલમાં છેલ્લા બે થી ત્રણ મહિનાથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી તેઓના ખેતરમાં ભરાઈ રહેતું હોવાના કારણે તેઓ ચોમાસું પાક ન લઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે વધુમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇન્ચાર્જ ઇજનેર વિપુલભાઇ સિંધવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ વાવડી ગામ સુધી અહીંના તળાવમાંથી પાણી લઈ જઈને ખેડૂતો દ્વારા 1000 વીઘા જેટલી જમીનમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જો કેખેડૂતો દ્વારા હવે ખેતી માટે પાણી ઉપાડવામાં આવતું નથી જેથી તળાવ ભરાઈ જાય છે.

ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાછળના ભાગમાં જે તળાવમાં પાણી ભરાતું હતું તે જગ્યા ઉપર હાલમાં મહાપાલિકાનો સ્ટોર વિભાગ બનાવવા માટે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી ત્યાં પાણી ન આવે તે માટે તળાવનો એક બાજુનો પાળો તોડવામાં આવ્યો છે જેથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. જોકે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે થઈને હાલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ખેડૂતોના ખેતરમાં પાણી ન ભરાય અને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરાયેલ પાણીનો સિંચાઇ માટે ઉપયોગ થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. #morbi #cmogujrat






Latest News