મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ


SHARE







ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ

ટંકારા તાલુકાનાં મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકવામાં આવેલ અને ત્યાંથી મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તેવી શ્રી ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓનો વિસ્તાર ખેતી આધારિત છે અને મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકીને મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તો ખેતી અન એ ખેડૂતને સિંચાઇ માટેનું પાણી મળી રહેશે અને સુકી પડી રહેલી જમીન ફળદ્રુપ થશે. જેથી મીતાણા ડેમની કેનાલ ઉપર કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. જો પાણી નદીમાં છોડવામાં આવશે તો ચોમાસા ઉપરાંત શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકશે. આમ ખેડૂતો અને ખેતી બંને સમૃદ્ધ બનશે. #morbi






Latest News