મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી
ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ
SHARE
ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ
ટંકારા તાલુકાનાં મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકવામાં આવેલ અને ત્યાંથી મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તેવી શ્રી ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓનો વિસ્તાર ખેતી આધારિત છે અને મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકીને મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તો ખેતી અન એ ખેડૂતને સિંચાઇ માટેનું પાણી મળી રહેશે અને સુકી પડી રહેલી જમીન ફળદ્રુપ થશે. જેથી મીતાણા ડેમની કેનાલ ઉપર કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. જો પાણી નદીમાં છોડવામાં આવશે તો ચોમાસા ઉપરાંત શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકશે. આમ ખેડૂતો અને ખેતી બંને સમૃદ્ધ બનશે.