મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

થર્ટી ફસ્ટ પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 3.50 રૂપિયાનો ગુજરાત ગેસ કંપનીએ આપ્યો ડામ: ગેસ કંપનીની ઓફિસે ઉદ્યોગકારોના ધરણાં


SHARE











થર્ટી ફસ્ટ પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 3.50 રૂપિયાનો ગુજરાત ગેસ કંપનીએ આપ્યો ડામ: ગેસ કંપનીની ઓફિસે ઉદ્યોગકારોના ધરણાં

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા નેચરલ ગેસનો ઉપયોગ કરીને હાલમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને સિરામિક ઉદ્યોગકારો  ગેસ કંપની પાસેથી એમજીઓ કરાર કરીને ગેસ મેળવી રહ્યા છે પરંતુ અચાનક જ ગુજરાત ગેસ કંપની દ્વારા થર્ટી ફાસ્ટની પૂર્વ સંધ્યાએ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે એમજીઓ કરાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે જેથી ઉદ્યોગકારોને જ મળતો ગેસ સાડા ત્રણ રૂપિયા કરતાં વધુ મોંઘો થાય તેવી શક્યતા છે જેથી કરીને ઉદ્યોગકારો દ્વારા હાલમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના ઉદ્યોગકારોને એમજીઓ કરાર કરીને નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે તે એમજીઓ કરાર બંધ કરેલ છે જેથી કરીને મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના લગભગ 99 ટકા ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપની સાથે એમજીઓ કરીને કરાર આધારીત ગેસ મેળવી રહ્યા છે કારણ કે એમજીઓ કરાર કરેલ હોય તો ગેસ નોન એમજીઓ કરતાં લગભગ સાડા ત્રણ રૂપિયા જેટલો સસ્તો મળતો હોય છે જેથી કરીને તેઓને ઉત્પાદનની કિંમત નીચે લાવવામાં અને બજારમાં ટકી રહેવા માટે થઈને ફાયદો થતો હોય છે

પરંતુ હાલમાં અચાનક ગુજરાત ગેસ કંપની દ્વારા એમજીઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાયેલ છે અને હાલમાં મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા સહિતના લગભગ 500 જેટલા સિરામિક ઉદ્યોગકારો મોરબીના લાલપર ગામ પાસે આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યું છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે એમજીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે તે નિર્ણયનો વિરોધ સિરામિક ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ઉદ્યોગકારોની માંગ છે કે એમજીઓ કરાર કરીને જે રીતે ગેસ સપ્લાય કરવામાં આવે છે તે મુજબ જ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા ચાલુ રાખવામાં આવે તે જરૂરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારો ને એ,જીઓ કરાર કરે તો 58.89 રૂપિયાના ભાવથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે અને જો તે નોન એમજીઓ હોય તો તે જ ગેસ 62.75 રૂપિયાના ભાવથી ઉદ્યોગકારોને મળે તેવી શક્યતા છે અને તેના ઉપર 6 ટકા ટેક્સ લાગતો હોવાથી સિરામિક ઉદ્યોગકારો ઉપર સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે લગભગ સાડા ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવા માટે થઈને ગુજરાત ગેસ કંપની દ્વારા આ રીતે અચાનક જ એમજીઓ કરનાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને હાલમાં અહીંના સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી છે






Latest News