મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ખાતમુર્હત થયેલ હીરાસરી માર્ગનું કામ કયારે ચાલુ કરાશે..?


SHARE











મોરબીમાં ખાતમુર્હત થયેલ હીરાસરી માર્ગનું કામ કયારે ચાલુ કરાશે..?


મોરબીમાં રહેવાસી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીતમા કરેલ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે, તેઓએ અગાઉ મોરબીના હિરાસરીના માર્ગના કામ બાબતે રજૂઆત કરી હતી.જેના અનુસંધાને મોરબીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી મેરજા દ્વારા આ કામનું ખાતમુર્હત પણ એક મહિનાથી પણ વધુ સમય પહેલા કરવામાં આવેલ હતું. ખાતમુર્હત થયું ત્યારે લોકો કહેતા હતા કે આ તો ખાતમુર્હત વીર છે..! કામ ચાલુ ક્યારે થશે તે નક્કી નહિ.ખરેખર તો આ ખાતમુર્હત ત્યારે જ કરવામાં આવતું હોય છે કે જયારે કામ ચાલુ કરવાનું હોય પરંતુ મોરબીના આ મંત્રીના હસ્તે તો આવા અસંખ્ય ખાતમુર્હતો થયા છે. જેમાંના ખુબજ ઓછા  કામો ચાલુ થયા છે અને ન ચાલુ થયેલા કામોમાં આ હીરાસરી માર્ગનો પણ સમાવેશ થાય છે.  

લોકો તો એમ પણ કહે છે કે આતો મુર્ખ બનાવવા માટેના ખાતમુર્હતો  છે. કામ તો ચુંટણી આવશે ત્યારે ચાલુ કરશે,  અને પાંચ વર્ષે બીજી ચુંટણી આવશે ત્યારે પૂરું કરશે અને તેનું લોકાપર્ણ કરશે..! જેવી રીતે રાજકોટ-મોરબી રોડને ફોરલેન કરવાનું કામ ગોકળ ગાયની ગતિ એ ચાલે છે. તેવું આમાં પણ થશે.માટે આ આગાહી સાચી ન પડે તે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ મુખ્યમંત્રીને લેખીતમાં વિનતી સાથે માંગણી કરેલ છે કે આ હિરાસરીના માર્ગનું કામ તાત્કાલિક ચાલુ કરાવીને તાત્કાલિક પૂરું કરવા જવાબદારોને યોગ્ય આદેશ આપવા જરૂરી છે.અને જો આવું કરવામાં નહી આવે તો છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News