મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા


SHARE













મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેને કૌટુંબિક કાકા ગાળો બોલતા હતા જેથી તેને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી અને તે બાબતે બંને વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી અને ત્યારબાદ યુવાનને તેના કૌટુંબીક કાકાએ છરીના પેટ અને કમરના ભાગે ઘા માર્યા હતા જેથી ગંભીર ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હોય આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકાના વનળીયા ગામે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ (28) નામના યુવાનને ગતરાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેના કૌટુંબી કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડએ પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી મહેશભાઈને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલુ છે.

વધુમાં પોલીસ કર્મચારી ગિરીશભાઈ મારૂણીયા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહેશ રાઠોડ તેના ઘર પાસે હતો ત્યારે ત્યાં તેના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ નસાની હાલતમાં ગાળો બોલતા હતા જેથી કરીને મહેશભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી તે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ સુરેશભાઈ ઘરમાં જઈને છરી લઈને બહાર આવ્યા હતા અને મહેશ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને પેટ તેમજ કમરના ભાગે જીવલેણ ઘા માર્યા હતા જેથી ગંભીર ઈજા પામેલા મહેશનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસની હાથ વેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.






Latest News