મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક સુપર કેરી ગાડીના ચાલકે સીએનજી રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલકને ઈજાઓ થઈ હતી તેમજ તેમાં બેઠેલા એક મુસાફરને ગંભીર ઈજથાઇ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે સુપર કેરી ગાડીને ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના નીચીમાંડલ ગામે સ્કૂલની પાછળના ભાગમાં રહેતા અને રીક્ષા ચલાવવાનું કામ કરતા મુકેશભાઈ રમેશભાઈ સોલંકી (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુપર કેરી ગાડી નંબર જીજે 27 ટીજી 6474 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી તેઓ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2215 લઈને પસાર થઈ રહ્યા હતા અને તેમાં મુસાફર તરીકે રબીભાઈ અને ઉત્તમકુમાર બેઠા હતા દરમિયાન પાછળથી આરોપીએ તેની સુપર કેરી ગાડી રિક્ષામાં અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રબીભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે ઉત્તમકુમારને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના સૂર્યનગર ખાતે રહેતા જશુબેન કાળુભાઈ બહાપિયા (48)એ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદના શંકરપરા વિસ્તારની અંદર રહેતા નિતેશભાઇ લવજીભાઈ કંઝારીયા (52) અને રમાબેન નિતેશભાઈ કંઝારીયા (46)ને મેરુપરના પાટિયાથી સુંદરગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર પૂલ નજીક અકસ્માતના બનાવમાં ઈજા થઇ હોવાથી ત્યાં તેઓને સારવાર આપીને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News