મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા


SHARE







મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેને કૌટુંબિક કાકા ગાળો બોલતા હતા જેથી તેને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી અને તે બાબતે બંને વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી અને ત્યારબાદ યુવાનને તેના કૌટુંબીક કાકાએ છરીના પેટ અને કમરના ભાગે ઘા માર્યા હતા જેથી ગંભીર ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હોય આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકાના વનળીયા ગામે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ (28) નામના યુવાનને ગતરાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેના કૌટુંબી કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડએ પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી મહેશભાઈને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલુ છે.

વધુમાં પોલીસ કર્મચારી ગિરીશભાઈ મારૂણીયા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહેશ રાઠોડ તેના ઘર પાસે હતો ત્યારે ત્યાં તેના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ નસાની હાલતમાં ગાળો બોલતા હતા જેથી કરીને મહેશભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી તે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ સુરેશભાઈ ઘરમાં જઈને છરી લઈને બહાર આવ્યા હતા અને મહેશ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને પેટ તેમજ કમરના ભાગે જીવલેણ ઘા માર્યા હતા જેથી ગંભીર ઈજા પામેલા મહેશનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસની હાથ વેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.






Latest News