મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE













મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના મકનસર ગામે રહેતા યુવાનની પત્ની રિસામણે બેઠેલ હોય યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તે યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો માટે આ યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા દિનેશભાઈ ચતુરભાઈ જીંજવાડીયા (32) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ બળદેવભાઈ દેત્રોજા દ્વારા કરવામાં આવેલ હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે દિનેશભાઈ ઝીંઝવાડીયાના પત્ની રિસામાણે બેઠેલ છે અને તેના બંને સંતાનોને પણ તે સાથે લઈ ગયેલ છે જેથી કરીને યુવાનને મનોમન લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતો જયદીપ જગદીશભાઈ અગેચાણીયા (20) નામનો યુવાન બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ આ બનાવી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્ક ખાતે રહેતા વાઘેલા વિજયંતી બકુલભાઈ (43) નામનો યુવાન નટરાજ ફાટક પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા નીતિન અજયભાઈ વરાણીયા (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બેલા ગામે રહેતા ગમારા ડાયાભાઈ આંબાભાઈ (72) નામના વૃદ્ધ આમરણ ગામ પાસેથી બાઈક જઇ રહ્યા હતા ત્યારે આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ડાયાભાઈ ને જમણા હાથમાં ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News