મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત


SHARE













મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

મોરબીની હરીપાર્ક સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર એલ.ઈ. ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહેલ રેલવે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ હરીપાર્કમાં રહેતા દિલીપભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (36) નામના યુવાને મોરબીમાં એ.ઈ. ગ્રાઉન્ડ પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તે યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈ રાજુભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (43) રહે. હરીપાર્ક વિદ્યુતનગર પાસે મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખારચિયા ગામે ઓમનગરમાં રહેતા જૈમીન તુલસીભાઈ કુબાવત (18) નામનો યુવાન ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા જન્નતબેન ઈસ્માઈલભાઈ પઠાણ (36) ઇકો  ગાડીમાં બેસીને જતા હતા ત્યારે જેપુર ગામે ફાટક પાસે ટ્રેક્ટર સાથે ઇકો અથડાતાં અકસ્માત થયો હતો અને આ બનાવમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News