મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE













મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ખેડૂત પોતાની વાડીએ હતા અને ત્યાં ઇલેક્ટ્રીક મોટરના વાયરીંગનું કામકાજ કરતા હતા.ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગેલ હોવાથી ઘટના સ્થળે તેમનું મોત થતા ડેડબોડી અત્રે સિવિલે લાવવામાં આવ્યું હતું.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના રાતાભેર ગામે રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ ખાવડીયા નામનો ૪૮ વર્ષીય યુવાન તા.૨૫-૪ ના સવારે નવેક વાગ્યે તેઓની વાડીએ ઇલેક્ટ્રીક મોટરનું વાયરીંગનું કામકાજ કરતો હતો.ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેમનું મોત નિપજત્તા ડેડબોડીને અહીંની સિવિલે લાવવામાં આવ્યુ હતુ.બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોય સ્ટાફના ધૃવરાજસિંહ ઝાલા દ્વારા પહોંચીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ હળવદ પંથકનો હોવાથી આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરાઈ હતી.
વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા અજયભાઈ પ્રભુભાઈ હડીયલ નામનો ૨૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા ઈજા પામ્યો હોય સાગર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી મકરાણીવાસ વિસ્તારમાં રહેતા અબેદાબેન યુસુફભાઈ મકરાણી નામની ૨૫ વર્ષની મહિલાને નવલખી રોડ ધકકાવારી મેલડી મંદિર નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ માળિયા મીંયાણા ખાતે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હુરબાઇ ગફુરભાઈ સુલેમાનભાઈ નામના ૭૦ વર્ષના વૃદ્ધાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પાસે ઇન્દિરાનગરના મંગલમ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ લાભુભાઈ માનેવાડીયા નામના ૪૫ વર્ષના યુવાનને કોઈ સાથે ઝઘડો થયો હોય મારામારીમાં મુઢ ઇજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સંજયભાઈ રાઠોડ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News